બાળકનું શોષણ એ એક ગંભીર વિષય છે. જો કે દરેક વ્યક્તિ આ બાબતે ચિંતિત છે પરંતુ પોતાને તેઓ આ બાબતોથી અલગ રાખીને જુએ છે, તેથી મહત્વની બાબત કેટલીક વાર છૂટી જતી હોય છે.
બાળકોનું પ્રાથમિક શોષણ એમના પાલક અથવા માતા પિતા દ્વારા થતું હોય છે, જે ખરેખર ગંભીર બાબત છે પણ સામાન્ય રીતે આ બાબતને સમજવાનો કે સમજાવવાનો પ્રયત્ન ખૂબ જ જૂજ થયો છે એમ કહેવું જરાયે અતિશયોક્તિ ભરેલું નહીં કહેવાય!!
બાળક એક નિર્દોષ અને કોમળ ફૂલની કળી છે જે પોતાના નિર્ધારિત ગુણધર્મો સાથે અવતરે છે, આ ફૂલ ને એના ગુણધર્મ પ્રમાણે ખીલવા દેવાની ક્રિયામાં આપણે જાણ્યે અજાણ્યે અવરોધ ઉભો કરીએ છીએ. જે ફૂલ કમળ થવા માટેની સાંભવના સાથે જન્મ્યું છે, એને ગુલાબ બનવવાની મથામણ આપણાંમાંથી મોટા ભાગના લોકો કરતા હોય છે અને કરતા રહે છે. આપણા દ્વારા કરાયેલ આ મથામણ ના તો એને ગુલાબ બનાવી શકે છે અને ના એને પૂરું ગુલાબ બનીને વિકસવા દે છે. આ એક આધ્યાત્મિક અવરોધ છે જે પાપ છે.
આ બાબતને દરેક મા-બાપે સમજવું જોઈએ અને બાળકને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. પરમાત્માએ આપણને સૌને યથાયોગ્ય જ્ઞાન અને સમજ સાથે મોકલ્યા છે, એ સમજણનો પટારો ખોલવાનો અવકાશ આપણને મળે એ પહેલાં એ પટારામાં એવી બધી બિનજરૂરી ભેટો (અનવોન્ટેડ ગિફ્ટસ) આવી પડે છે જેને આપણે અપનાવતા જઇએ છીએ અને અંતે જ્યારે ડહાપણની દાઢ આવે છે, ત્યારે આપણી સમજણનો ખજાનો મળે છે જે વાપરવા માટે આપણે સક્ષમ હોતા નથી.
રમેશ મિસ્ત્રી
૨૮મી ફેબ્રુઆરી, ૨૦૨૧😊
મીરાંરોડ- મુંબઇ
2 comments:
Very sensible 👌🏻👍🏻
Thanks for the appreciation 👍😊
Post a Comment