Friday, December 10, 2021

૧.૩ માનવ, ધર્મ અને માનવધર્મ


 પ્રથમ આ મનને શાંત કરવું જોઈએ, જેના થકી દરેક બાબતોને એના ખરા અર્થમાં સમજી શકાય.આવી સાચી સમજ એજ શિક્ષણ!!

આજનું આપણું શિક્ષણ, આપણી ધાર્મિક સમજ અને દરેક સમજને સમજવા માટેનો, આપણો વૈજ્ઞાનિક અભિગમ આમાં અવશ્ય સહાયભૂત થઈ શકે છે. ઈન્ટરનેટ ના આ યુગમાં આ વધુ શક્ય બન્યું છે.  દુનિયાના કોઈપણ ખૂણામાં થતી ગતિવિધિઓથી, આપણે માહિતગાર રહીએ છીએ. ગુગલ પર દરેક પ્રકારની માહિતી અને મંતવ્યો સહજ ઉપલબ્ધ છે. ગુગલબાબા મહાજ્ઞાની છે!!!

કેટલાક લાકો તો સોશિયલ મીડિયા ના વપરાશ અને એની સહજ ઉપલબ્ધીથી વધુ શિક્ષિત બન્યા છે. શિક્ષીત હોવું એટલે ફક્ત ડિગ્રી ધારક બનવું,એવું જરાય નથી!! શિક્ષિત એ એવી દરેક વ્યક્તિ છે, જે વાંચીને સમજી શકે અને સમજીને લખી શકે છે. આપણા મહાન ચિંતકો અને લેખક કે કવિઓ શૈક્ષણિક ડિગ્રીઓની દ્રષ્ટિએ ઓછું ભણેલા હતા, પરંતુ એમની સમજ કે એમના વિચારો અને લખાણો, એ ખરેખર એમના શિક્ષિત હોવાનું પ્રમાણપત્ર છે.

....વધુ આગલાં લેખ ૧.૪ માનવ, ધર્મ અને માનવધર્મ વાંચો

No comments: