Tuesday, December 7, 2021

૨. માનવ અને માનવ સમાજ- એક વિશ્લેષણ


 

*વિચારો દ્વારા સમાજનું ગઠન*

આજ સુધીમાં માણસને, સારા વિચારોનું મહત્વ સમજાવા લાગ્યું, એટલે સારા વિચારોવાળા, બુદ્ધિમાન લોકોનું સન્માન થવા માંડ્યું. હવે દરેક બીજા લોકો, જેઓ પોતાના જીવનમાં પ્રગતિ ઇચ્છતા હતા, તેઓ સારા વિચારવાન લોકોના સંપર્કમાં રહી શીખવા માંડયા, જેને કારણે જેઓ ખરેખર સન્માનયોગ્ય લોકો હતા, એવા લોકોએ સુંદર અને સુધડ સમાજના ઘડતર માટે નીતિનિયમો બનાવ્યા જેમાં સર્વને માટે એક સુલભ અને સુંદર જીવન સહજ થઈ પડે, આ નીતિનિયમો શીખવા માટે લોકો રસ લેવા લાગ્યા, જેના કારણે શિક્ષણ વ્યવસ્થા અસ્તિત્વમા આવી !!!

સમાજને એક તાંતણે બાંધવાનો જ્ઞાનવાન અને વિચારકોનો પ્રયાસ થતો જ રહ્યો. પરંતુ માનવસમાજનું એક નકારાત્મક પાંસુ એ રહ્યું છે કે, દરેક વ્યક્તિ જે પોતાનું વૈચારિક યોગદાન સમાજમાં આપતી રહીં, તેઓ પોતાના વિચારોમાં, જે સમાજના કલ્યાણમાટે વિચારવામાં આવ્યા હતા, એની સાથે બાંધછોડ કરવા તૈયાર નહોતા.  અહીં એકમેકના વિચારો સાથે સંઘર્ષ થવા લાગ્યો..અને આ સંઘર્ષમાંથી વિરોધ, જે સમય જતાં ફરી પાછા ઇતિહાસના પુનરાવર્તનના નિયમ મુજબ કબીલાઓમાં પ્રસ્થાપિત થવા માંડ્યા!! 

....વધુ આગલા લેખમાં😊

આભાર.

No comments: