Tuesday, December 7, 2021

શિક્ષણ અને ધર્મ


શિક્ષણ અને ધર્મ


એવું કહી શકાય કે, શિક્ષણ અને ધર્મ બંને,આજ સુધી માનવીય સમાજ માટે પૂર્ણપણે સફળ થયા નથી. માનવીય જીવન હજી પણ પૂર્ણપણે ખીલી શક્યું નથી.

*આજના પ્રચલિત શિક્ષણની ઉપલબ્ધી અને એનો સાર:-*

આજના શિક્ષણે આપણને "ઉંદરડાની દોડ" (રેટ રેસ)માં જોતરી દીધા છે, દરેક વિદ્યાર્થીને પ્રથમ ક્રમાંક લાવવા માટે એના ઘરનાઓથી તેમજ બહારનાઓ દરેક તરફથી પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, જો કે વર્ગમાં  પ્રથમ તો કોઈ એક જ આવે છે!! પણ દોડ જબરી લાગી છે, એના કારણે અહીંથી સમજુ નાગરિકોનું નિર્માણ થવાની અપેક્ષાએ મહત્તમ "ગોખણપટ્ટીયા" લોકો નિર્મિત થતા ગયા, જેઓ પાસે પાસિંગ સર્ટીફીકેટસ તો છે પણ વિષયને સમજવાની સમજશક્તિ નથી!!! અને આ કહેવાતા શિક્ષિત લોકો સમાજને ઉપયોગી એવું ભાવનાત્મક જ્ઞાનની કમીને કારણે, સમાજમાં કોઈ પણ પ્રકારની સમરસતા લાવી ના શક્યા!!

*આજના પ્રચલિત ધર્મની ઉપલબ્ધીઓ અને સાર:-*

આજના મોટાભાગના પ્રચલિત ધર્મોએ માણસને સાહસ કરતા રોક્યો છે, અને કલ્પનામાં રાચતો કરી દીધો છે, ઈશ્વર એ એક ડર નો વિષય હોય ફક્ત પ્રાર્થના સુધી સીમિત થઈ ગયો, અધૂરામાં પૂરું, કહેવાતા લેભાગુ અને અર્ધજ્ઞાની તકસાધુઓએ સમાજના મોટાભાગના લોકો પર પોતાનું આધિપત્ય જમાવ્યું. જેના કારણે માણસ પોતાનો આંતરિક વિકાસ કરી ના શક્યો.

*આનો ઉકેલ શુ?* 

....તો જ્યાં સુધી આધુનિક શિક્ષણ,કહેવાતા ધર્મનું વિશ્લેષણ કરી એમાંની સારી બાબતો,જેવી કે નીતિમત્તા અને સનાતન માનવીય મૂલ્યોનો અભ્યાસ કરી શૈક્ષણિક નિતિઓમાં સમાવેશ ના કરે, ત્યાંસુધી આ સંઘર્ષ ચાલતો જ રહેશે એવું લાગે છે, આવું કરવાથી ધર્મને એક વૈજ્ઞાનિક પરિપ્રેક્ષયમાં જોવાની દ્રષ્ટિ કેળવાશે, અને સમાજમાં પરિવર્તન લાવી શકાશે.

વાંચન માટે આભાર🙏😊

No comments: