પરિવર્તન એ સંસારનો નિયમ છે!!
આ આધુનિક કબીલાઓ એ પોતાના નીતિનિયમો ને શ્રેષ્ઠ માની, જે કોઈ એના સંપર્કમાં આવતા ગયા, એમને યેનકેન પ્રકારે પોતાની માન્યતાઓ સાથે સાંકળતા ગયા અને પોતાનો વ્યાપ વધારતા ગયા. હવે આ માનવ સમૂહ ,જે અમુક હજાર લોકોનો હતો એ જનસંખ્યાના મુકાબલે,હવે લાખો અને કરોડોની સંખ્યામાં વધતો ગયો.આવા અમુક નીતિનિયમો સાથે સંકળાયેલા લોકોની માન્યતા એજ આજનો ધર્મ!!
હવે માનવી બુદ્ધિશાળી બન્યો, એકમેક ને નડવાથી થતા નકારાત્મક પરિણામોથી અવગત થતા, લોકો એકબીજાના ધર્મનો આદર કરવા લાગ્યા...અહીં થી સર્વધર્મ સમભાવ નું સૂત્ર ચલણમાં આવ્યું..જેના લીધે મહત્તમ ધર્મોએ એકબીજાની ગમતી અને સુસંગત બાબતોને પોતાની માન્યતા કે ધર્મમાં સમાવવાની શરૂઆત કરી અને નવા નવા ધર્મો અને પંથો કે માન્યતાઓ અસ્તિત્વમાં આવી!!
....વધું આગલાં લેખમાં😊
અભાર.
No comments:
Post a Comment