સાચી સમજ ધરાવનાર વ્યક્તિ અને એમની વિચારસરણી મોટેભાગે બદનામ થતા રહે છે.
આજે આપણે, એટલેકે માનવસમાજ, એક એવા ત્રિભેટે આવીને ઉભો છે, જ્યાં મોટાભાગે લોકો આપખુદ બની ગયા, માણસને માણસની ભાવનાઓની કદર નથી, માણસ માણસની ભૌતિક સિદ્ધિઓને જ એની પ્રગતિ ગણતો અને ગણાવતો ગયો અને આવા સંપત્તિવાન લોકોનો સમાજમાં દબદબો વધ્યો,અને
રાજકારણી થી લઈને ધર્મ અને સામાન્ય નાગરિક ઉપર એમની પકડ વધી અને જાણ્યે અજાણ્યે સૌ આવા લોકોના ગુલામ બની ગયા જેને કારણે માનવીય મૂલ્યોનો હ્રાસ થયો.
બુદ્ધિજીવી અને વિવેકબુદ્ધિ ધરાવનાર વ્યક્તિઓ આ બધી બાબતોને કારણે મોટી અસમંજસમાં છે, તેઓ અલગ અલગ માધ્યમ થી, જેવાકે લખાણ, પ્રવચન કે ચર્ચાસત્ર યોજી માનવ સમાજને પોતાના વિચારોથી એક કરવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ સામે પક્ષે વિવેકહીન અને અહંકારી વ્યક્તિઓ એમની વાતોને પોતાની બુદ્ધિ પ્રમાણે સમજે છે અને સમાજમાં પોતાની બુદ્ધિ પ્રમાણે પ્રચાર પ્રસાર કરે છે, અને મોટેભાગે આવા લોકો પોતાની અણઆવડતને કારણે અર્થનો અનર્થ કરી અન્ય લોકો સુધી પ્રચાર કરતા જાય છે...આવા અનુયાયીઓના કારણે ખોટી સમજ અને ખોટી માન્યતાઓ ઉભી થાય છે જેને કારણે સાચી સમજ ધરાવનાર વ્યક્તિ અને એમની વિચારસરણી મોટેભાગે બદનામ થતા રહે છે.
આપણા માનવીય ઇતિહાસ ને જોતા અને આજની પરિસ્થિતિને સમજતા એક વાત જણાય છે, દરેક લોકોને એક જ વિચારધારા સાથે સાંકળી રાખવું ખૂબ જ અઘરું અથવા અશક્ય બાબત જણાય છે. કારણકે જેટલા માથા તેટલા મત-મતાન્તરો!!! આવી બાબતો, એકતાના સમીકરણોને તહસનહસ કરી નાંખે છે અને સામાજિક એકતાના પરિબળોના અવરોધક બને છે.
...આભાર😊
No comments:
Post a Comment