ધર્મ માણસને, માણસ સાથે જોડાવા માટે હતો, પરંતુ આજના પ્રચલિત ધર્મો, એક માણસને બીજા માણસ થી વધુ દૂર કરવામાં કારણભુત બન્યા છે. જોકે, ખરા અર્થમાં આપણે ખરા ધર્મ ના હાર્દ ને સમજ્યા જ નથી..એનું કારણ, કેટલાક અધૂરા અને અર્ધજ્ઞાની લોકોએ આ બાબતે સમાજમાં અજાણતાં જ,ગેરસમજ ફેલાવવાનું કાર્ય કર્યું છે. તેથી આજનો મનુષ્ય કર્મકાંડો ને જ ધર્મ સમજી બેઠો,અને ખરા ધર્મ કે એના પાછળ ના વિજ્ઞાન ને સમજવાનો, કહેવાતા ધાર્મિક લોકોએ પ્રયત્ન જ ના કર્યો, અને અધૂરી સમજને લીધા બીજાઓને આ બાબતે સમજાવી પણ ના શક્યા.
ધર્મ ખરી રીતે જુઓ તો મનુષ્ય અને ઈશ્વરના અનુસંધાનમાં છે. પરંતુ સામાન્ય મનુષ્યે ઈશ્વર ને સમજવાની તસ્દી લીધી જ નહીં...એના કારણે આ બાબતમાં એનું અજ્ઞાન વધુ ગાઢ બન્યું, જેથી તકસાધુ અને લેભાગુ ધાર્મિક આગેવાનો વધુ સક્ષમ બન્યા. જેઓએ સામાન્ય માણસ ના મન પર પોતાનો એવો અડીંગો જમાવ્યો કે, તેઓ જે કહે એજ સત્ય છે એવી સમજ કેળવાતી ગઈ. અને સામાન્ય માણસે એમની દરેક વાતોને , પોતાની વિવેકશક્તિથી સમજવાનો પ્રયત્ન પડતો મુક્યો. આવું થવાથી, લોકો અનાયાસે, એક ખોટી પરંપરાને પ્રચલિત કરવાના કાર્યમાં જોતરાય ગયા.
આપણે અધ્યાત્મ ને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ....
જોકે મનુષ્ય ખરા અર્થમાં આધ્યાત્મિક જ છે.
રમેશ મિસ્ત્રી
તા.૦૨.૦૭.૨૦૧૯ ગુરુવાર ના રોજ સંઘપ્રદેશ દિવ દમણ ના અગ્રેસર દૈનિક "વર્તમાન પ્રવાહ"માં છપાયું.